અમરેલીમાં વારંવાર વીજકાપથી હિરાના કારખાનેદારો પરેશાન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/02/orig_3_1643835712.webp)
અમરેલીમા પાછલા કેટલાક સમયથી હિરાના કારખાનેદારાે વારંવાર વિજળી ગુલ થવાની સમસ્યાથી પરેશાન છે. ત્યારે આજે અહીના કારખાનેદારાે એ વિજ કંપનીના અધિકારીએને આવેદન પાઠવી આ પ્રશ્ન નહી ઉકેલાય તાે આદાેલન કરવાની ચિમકી આપી છે.
અમરેલી જિલ્લા ડાયમંડ એસાેસિએશન દ્વારા અાજે પીજીવીસીએલના અધિકારી ઓને આ મુદે ઉગ્ર રજુઆત કરવામા આવી હતી. અહીના હિરામાેતી ચાેક અને ગજેરાપરા વિસ્તારમા અવારનવાર દિવસ દરમિયાન પાવર કાપી નાખવામા આવે છે.
જેના કારણે આ વિસ્તારમા ધમધમતા હિરાના કારખાનાઅાેમા કામ અવરાેધાઇ છે. અવારનવાર વિજકાપ અાવતાે હાેવાથી કારખાના રગડધગડ ચાલે છે. જેનાથી રત્ન કલાકારાેની રાેજીરાેટી પર અસર થાય છે. એટલુ જ નહી કારખાનેદારાેને પણ માેટુ નુકશાન થઇ રહ્યું છે. હિરાના કારખાનેદારાેએ રજુઆતમા જણાવ્યું હતુ કે જાે આપ્રશ્નનુ નિરાકરણ લાવવામા નહી આવે તાે કારખાનેદારાે દ્વારા આદાેલનનુ શસ્ત્ર ઉગામવવામા આવશે
Recent Comments