શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં ચાલતા વિકાસ કામ માં શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર ની ઉદારતા ત્રણ લાખ ના ખર્ચે ડોમ બનશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/03/FB_IMG_1633537496111-697x620.jpg)
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારેલ લાઠી ના હાલ મુંબઈ સ્થિત શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકરે મંદિર પરિસર માં ચાલતા બ્યુટીફીકેશન વિકાસ કાર્ય નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ કાર્યલય માં પધારી મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી અને હરજીભાઈ નારોલા નો સંપર્ક કરી દાદા ની સેવા માટે તૈયારી દર્શાવી હતી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી અવગત થઈ મંદિર પરિસર માં ચાલતા વિકાસ કાર્યો નિહાળી દાદા ના સાનિધ્ય માં થતા બ્યુટીફીકેશન રંગોળી પેવર બ્લોક ફૂલ છોડ અને દર્શનાર્થીઓ મારે વિશાળ ડોમ બનાવવા નું કામ બાકી હોય આ અંગે ટ્રસ્ટી શ્રી જીવનભાઈ હકાણી અને હરજીભાઈ નારોલા પાસે માહિતી મેળવી રૂપિયા ત્રણ લાખ ના ખર્ચે બનનાર વિશાળ ડોમ માટે લાઠી ના ઉદ્યોગ રત્ન ઉદારદિલ ભામાશા ઘનશ્યામભાઈ શંકરે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર એક રૂપિયા નું દાન સવા રૂપિયો તરીકે વાપરી ખૂબ ચીવટ અને પ્રમાણિકતા થી વાપરતા વ્યવસ્થાપકો થી પ્રભાવિત થઈ ખૂબ ખુશી સાથે ત્રણ લાખ ના ખર્ચે ડોમ બનાવી આપનાર છે
Recent Comments