લાઠી સિવિલ માં સેવા પરમો ધર્મ ને સાર્થક કરતા દર્દી નારાયણો ના ભગવાન ડો ડેથલીયા ની બદલી થતા શહેર ની સંસ્થા દ્વારા વિદાયમાન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/FB_IMG_1649000243887-960x620.jpg)
લાઠી શહેર ખાતે સીવીલ હોસ્પિટલમાં.ફરજ બજાવતા સેવા પરમો ધર્મ સૂત્ર ને સાર્થક કરતા સેવાભાવી ડોક્ટર શ્રી દેથળીયા સાહેબ ની બદલી વડોદરા ખાતે થતાં લાઠી શહેર નગરપાલિકા પ્રમુખ શહેર ભાજપ લાઠી શહેર ચેમ્બર ઓફ કોમર્સ સહિત સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા ડો દેથલીયા સાહેબ ને સાકાર પડો, શ્રીફળ, પુષ્પગુચ્છ, દ્વારકધીશ ની છબી આપી સન્માન આપી ને વિદાય આપેલ.લાઠી શહેર ની સિવિલ માં માનવતાવાદી મિલનસાર મિતભાષી ડો દેથલીયા સાહેબ ની બદલી થતા તેની સેવા સરાહના કરતા અગ્રણી ઓ દ્વારા સેવાયજ્ઞ અવિરત ચાલતો રહે દર્દી નારાયણો માટે આશીર્વાદ બનતા રહો ની શુભેચ્છા સાથે શાલ શિલ્ડ સન્માન પત્ર અર્પિ સન્માન સાથે વિદાયમાન અપાયું હતું
Recent Comments