ભારતીય કિસાન સંધ દ્વારા અમરેલી PGVCL કચેરી માં આવેદન પત્ર પાઠવ્યું તોઉતે વાવાઝોડા ને વર્ષ થવા છતાં યોગ્ય મેન્ટનેસ નહિ કરતા નારાજગી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/06/IMG-20220603-WA0057-1140x620.jpg)
ભારતીય કિસાન સંધ દ્વારા અમરેલી પી જી વી સી એલ કચેરી ને આવેદન પત્ર પાઠવતા ખેડૂતો અમરેલી જિલ્લા માં તોઉતે વાવાઝોડાં ને એક વર્ષ વીત્યું છતાં આજ સુધી પી જી વી સી એલ તરફ થી યોગ્ય મેન્ટેન્સ રિપેરીગ નથી કરાયું ખેતી વાડી ની કામગીરી પૂર્ણ થયેલ નથી વાવાઝોડા થી જીર્ણ થયેલ વીજ પોલ ત્રાંસા થયેલ ભાંગી ગયેલ ક્ષતિ ગ્રસ્ત જ્યાં ત્યાં ખોટી જગ્યા ઓમાં સ્થળ ફેર કરી આડેધડ ઉભા કરી શેઢા પાળા હદ નિશાન અંગે ભારે વિસગતાં ઉભી કરાય છે ઉડી ગયેલ મીટર ની ડિસ્પ્લે વગર આડેધડ વીજ બિલ સાંધા કરી સર્વિસ વાયરો થી ખેડૂતો ને વીજ પુરવઠો આપી દેવાયો પણ જરૂરી સર્વિસ આજ સુધી બદલી નથી વીજ વાયર વચ્ચે નડતર જનક ઝાડી ઝાંખરા દૂર કર્યા વગર વીજ પ્રવાહ જોખમ રૂપ બની રહ્યું છે આવી અનેકો સમસ્યા લાઠી લીલીયા બાબરા વડિયા કુકાવવા બગસરા ધારી જાફરાબાદ સહિત માંથી ઉઠતી ફરિયાદો અંગે ટીસી વીજ પોલ વાયર માં સાંધા વારંવાર ફોલ્ટ જેવી સમસ્યા થી ત્રસ્ત ખેડૂતો એ ભારતીય કિસાન સંધ દ્વારા ૧૬ જૂન સુધી માં યોગ્ય કાર્યવાહી કરવા ની માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરાય હતી અન્યથા આગામી દિવસો માં દરેક તાલુકા મથકે ઘરણા યોજવા ફરજ પડશે તેવી ચેતવણી ભારતીય કિસાન સંઘે ઉચ્ચારી હતી
Recent Comments