લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના રોજ યોજાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2020-02-28-at-8.34.29-PM-1140x620.jpeg)
અમરેલી તા. ૭ જૂન, ૨૦૨૨ મંગળવાર – અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી-લાઠી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો માટે અરજદારે ૧૮ જૂન, ૨૦૨૨ના રોજ ૧૫ કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટમાં મળી જાય એ રીતે મામલતદાર કચેરી-લાઠી ખાતે અરજી મોકલવાની રહેશે. સામુહિક કે, નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે એવું મામલતદાર-લાઠી દ્રારા જણાવવામાં આવ્યું છે.
Recent Comments