હિન્દુ યુવા સંગઠન, સાવરકુંડલાદ્વારા હિન્દુ સામ્રાજ્ય દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઈ. સ ૧૬૦૦ ની શતાબ્દી માં મુગલો એ ભારત પર આક્રમણ કર્યું.એ સમય માં મુગલો દ્વારા મંદિરો લૂંટી ધ્વંસ કરી અસંખ્ય હિન્દુઓ ની હત્યા કરી ભારત દેશ ને ગુલામ બનાવી હાહાકાર મચાવ્યો હતો.
આવા સમયે શિવાજી મહારાજે સંકલ્પ કરી સમસ્ત હિન્દુ સમાજ ના લોકો ને સંગઠિત કરી મુગલો ના ત્રાસ અને અને ગુલામી માંથી મુક્ત કરી ભારત દેશ માં ફરી હિન્દુ રાષ્ટ્ર ની સ્થાપના કરી હતી. આ દિવસ ને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવા મા આવે છે. જેની જેઠ સુદ તેરસ ને રવિવાર ના રોજ રિધ્ધિ સિધ્ધિ મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શિવાજી મહારાજ નું પૂજન તથા બાપાસિતારામ હનુમાન મંડળ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
આ તકે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી બાબુભાઈ સોલંકી, દ્વારા શિવાજી મહારાજ નું પુજન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા હિન્દુ યુવા સંગઠન ના સંસ્થાપક પ્રણવ વસાણી , પ્રમુખ મધુસૂદનભાઈ વસાણી, મંત્રી સંજયભાઈ મારું, ઉપપ્રમુખ નિખીલ ગોંડલીયા, પાર્થભાઈ પીપળીયા, હિરેનભાઇ , ઘનશ્યામભાઈ મશરું, યજ્ઞેશભાઇ ત્રિવેદી, ભરતભાઈ ગઢીયા, પંકજભાઈ ચૌહાણ, જનકભાઈ સિધ્ધપુરા, પંકજભાઈ કારેલિયા, સાગર , દેવ વાળા, લાલુ જેઠવા, અમિત અભાણી વગેરે એ જહેમત ઊઠાવી હતી.
Recent Comments