fbpx
અમરેલી

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ કરાવ્યો પ્રારંભ

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમરેલીના જેસીંગપરા ખાતે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભાના દંડકશ્રી રમેશભાઈ કટારાએ આ કાર્યક્રમના અંતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

          આ કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભાના દંડકશ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ ૨૦ વર્ષનો વિકાસ આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જન-જન સુધી પહોંચી રહ્યો છે. કોઈ પણ યોજનાઓ હોય વિકાસ અને લાભો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ, પાણી માટે નલ સે જલ, સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, અનેકવિધ યોજનાઓ દ્વારા આજે જન સુખાકારીના કાર્યો થઈ રહ્યા છે.

અમરેલીમાં પણ આ તમામ યોજનાઓ શહેરીકક્ષાએ નગરપાલિકા, જિલ્લા કક્ષાએ પંચાયત અને તાલુકા અને ગ્રામ્ય સ્તરે લોકો સુધી પહોંચી રહી છે. ૨૦ વર્ષના વિશ્વાસની વિકાસ યાત્રા નિરંતર શરુ રહેશે.

       મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આજથી આગામી તા.૧૯ જુલાઇ સુધી જિલ્લા પંચાયતની ૩૪ સીટ દીઠ બે ગામ અને ૦૯ નગરપાલિકાના ૧૨ વિસ્તારોમાં ૦૩ રથ ભ્રમણ કરશે. અમરેલી જિલ્લામાં રૂ.૯૫૬.૩૧ લાખના ૩૩૫ સામુહિક કામોનું લોકાર્પણ થવાનું છે. જ્યારે રૂ.૫૭૧૦.૭૮ લાખ રૂપિયાના ૩૩૧ કામોનું ખાતમહૂર્ત થવાનું છે.

          વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તળે અમરેલી જિલ્લાના આશરે ૨,૩૯૫ લાભાર્થીઓને રુ. ૨૫૯.૪૦ લાખની સહાય અને વિવિધ સહાય યોજના લાભ તરીકે આપવામાં આવશે.

          અમરેલી ખાતેના આ કાર્યક્રમના પ્રારંભે અમરેલી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાએ, અમરેલી નગરપાલિકાના પૂર્ણ થયેલા અને નિર્માણાધિન વિકાસ કાર્યો જેવાં કે સિનિયર સિટીઝન પાર્ક, માર્ગ-મકાન, પાણી પુરવઠા, પાઈપલાઈનના પૂર્ણ થયેલા કામો સહિતની વિગતો આપી હતી. 

          કાર્યક્રમના અંતે પી.એમ.જે.વાય યોજના,પીએમ સ્વનિધી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ખેતીવાડી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વ્હાલી દીકરી યોજના સહિતના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. નવ્વાણું ટકાથી વધુ વિતરણ કર્યુ હોય તેવા વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારોનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું.  લાભાર્થીને પોષણક્ષણ કીટનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.

જેસીંગપરા રાષ્ટ્રીય રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનારા ખેલાડીઓને મહાનુભાવોએ  મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ. જિલ્લામાં પર્યાવરણ જાળવણીના સંદેશને ચરિતાર્થ કરતા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.

      કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત  તાલુકા – જિલ્લા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જન જાગૃત્તિ અર્થે લોક ડાયરો પણ યોજવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/