ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ ના 57 માં જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-11-at-1.07.39-PM-1024x620.jpeg)
આજરોજ ખોડલધામ મંદિર કાગવડ ના સ્વપ્નદ્રષ્ટા તેમજ ખોડલધામ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ના 57 મોં જન્મદિવસ હોય તે અનુસંધાને ખોડલધામ સમિતિ સાવરકુંડલા તેમજ સહયોગી સંસ્થા :- યોગેશ્વર ડાયમંડ તથા લાયન્સ ક્લ્બ સાવરકુંડલા તથા HDFC બેંક તથા રેડક્રોસ સોસાયટી દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હતું .
તેમાં 131 બોટલ રક્તદાતા તરફ થી રક્તદાન કરી નરેશભાઈ ને અનોખી રીતે જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી
Recent Comments