ધારીના ખોડીયાર ડેમમાં પાણીની આવક વધતાં ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો
અમરેલી-ધારીના ખોડિયાર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમનો 1 દરવાજો 0.254 મીટર ખોલવામાં આવ્યોછે. આમ 645 ક્યુસેક પાણીનો પ્રવાહ ડેમ માંથી છોડવામાં આવ્યો છે. ધારી ખોડિયાર ડેમમાં પાણીની આવક થતા જાવક પણ શરૂ કરવામાં આવી છે. જેના લીધે નીચાણવાળા 7 તાલુકા મથકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમનો 1 દરવાજો 10 ઇંચ ખોલવામાં આવ્યો છે. ડેમનો દરવાજા ખોલવાની સૂચનાથી નીચાણવાળા ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે. જેમાં –
ધારી ના (૧)ધારી (૨)આંબરડી (૩)ભઠ (૪)પાદરગઢ
બગસરા ના (૧)હાલરીયા (૨)હુલરીયા
અમરેલીના (૧) સરંભડા (૨) નાના માંડવડા (૩) મેડી (૪) તરવડા (૫) બાબાપુર (૬) વાંકીયા (૭) ગાવડકા (૮) પીઠવાજાળ (૯) વિઠ્ઠલપુર (૧૦) મોટા ગોખરવાળા (૧૧) નાના ગોખરવાળા
લીલીયા ના (૧) કણકોટ (૨) આંબા (૩) ક્રાંકચ (૪) બવાડા (પ)બવાડી (૬)ઇંગોરાળા (૭) શેઢાવદર (૮) લોકા (૯) લોકી
સાવરકુંડલા ના (૧) બોરાળા (૨) જુના સાવર (૩) ખાલપર (૪) આંકોલડા (૫) મેકડા (૬) ફિફાઠ (૭) ઘોબા (૮) પીપરડી
ગારીયાધાર ના (૧) ઠાંસા (૨) જુના ગુજરડા (૩)મનાજી (૪)રાણીગામ (૫)સતાપડા
પાલીતાણા ના (૧) ચોક (૨) ડુંગરપુર (૩) હાથસણી (૪) જાલીલા (૫) જીવાપર (૬) રાણપરડા (૭) રોહીશાળા
ડેમ વિભાગ દ્વારા જાહેર પત્ર પ્રસિદ્ધ કરીને ગામડાઓમાં સૂચનાઓ અપાઈ છે.
Recent Comments