અમરેલી શહેરમાં સોમનાથ મંદિરથી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધીના રોડનું ભાજપે ખાતમુહર્ત કર્યું પણ કામ કયારે શરૂ થશે ? : મનીષ ભંડેરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/DSC_0065-1-1140x620.jpg)
છેલ્લા ૧પ દિવસ પહેલા જ અમરેલી શહેરમાં સોમનાથ મંદિર થી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધીના રોડનું ખાતમુહર્ત જીલ્લા ભાજપના આગેવાનો તથા નગરપાલિકાના ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામ હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી અને હીંદુ ધર્મનો પવિત્ર શ્રાવણમાસ શરૂ છે, અને આ રસ્તે પોૈરાણીક શિવ મંદિરો, સોમનાથ મહાદેવનું મંદિર તથા પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.
આ મંદિરે શ્રદ્વાળુંઓ મોટી સંખ્યામાં આવે છે, અને રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેનાથી શ્રદ્વાળુંઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ ભાજપ નેતાઓની ત્રિકમ ગેંગે મોટા ઉપાડે માત્રને માત્ર ફોટોસેશન કરવા માટે જ ખાતમુહર્તનું ડીંડક કર્યુ હતું. હજુ સુધી કામ શરૂ કરાવી શકયા નથી. તો રોડનું કામ કયારે શરૂ થશે તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.
Recent Comments