સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભવ્ય રેલી કાઢવામાં આવશે
સાવરકુંડલા શહેર તથા તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં 185 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના એક લાખ વિધાર્થીઓ ભાગ લેશે.આ પ્રાણીના સંરક્ષણ, સંવર્ધન માટે બાળકોમાં તથા આમજનતામાં લોકજાગૃતિ લાવવા વિવિધ 10/8/2022 ના રોજ ઓપન એર થિયેટર માં સવારે 9:30 કલાકે સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા બાદ યોજાશે મહારેલી સાવરકુંડલા ના જનતા બાગ થી રિદ્ધિ સિદ્ધિ ચોક મણીભાઈ ચોક જેવી મોદી હાઇસ્કુલ પાસેથી નીકળશે મહારેલીની કાર્યક્રમોનું આયોજન થનાર છે.
આ ઉજવણીએ અનેક વિક્રમો સ્થાપીને નવાં કિર્તીમાન બનાવ્યાં છે.પરંતુ ચાલુ વર્ષે હવે બે વર્ષના સમય ગાળા પછી સિંહ દિવસની ઉજવણી પ્રત્યક્ષ રીતે સમગ્ર અમરેલી જિલ્લામાં થાશે.આ આયોજનને સફળ બનાવવા સાવરકુંડલા નોર્મલ રેન્જના આર.એફ.ઓ શ્રી ચાંદુ સાહેબ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ સતિષભાઈ પાંડે ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
Recent Comments