fbpx
અમરેલી

અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આજે અમરેલીના પૌરાણિક શિવાલયોમાં સમરસ ગંગા જળાભિષેક

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત અને યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગ દ્વારા પૂજ્ય નૌત્તમ સ્વામીજીની આગેવાનીમાં હરિદ્વારથી ગંગાજળ કાવડ ઉઠાવવાનો ભવ્ય દિવ્ય કાર્ય 22 /8/22 ના રોજ હરકીપૌડી હરિદ્વાર મા સંપન્ન થયો હવે ૧૮૨,વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ૨૦૨ પૌરાણિક મહાદેવજીના મંદિરોમાં શ્રાવણમાસના અંતિમ દિવસે અખિલભારતીય સંતસમિતિના સંતો તથા હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગંગાજળથી શિવાલયમાં જળાભિષેક કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં આ યાત્રા અંર્તગત પાંચેય વિધાનસભાના પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે.

અમરેલી ખાતે નાગનાથ મહાદેવ મંદિર ખાતે 4.30 કલાકે, ઝાઝનાથ મહાદેવ જુના ખીચા ધારી.4.30 કલાકે, રામેશ્વર મહાદેવ જાફરાબાદ 5.30 કલાકે, નિલકંઠ મહાદેવ કુંકાવાવ 4 કલાકે, મોટા આકડીયા મહાદેવ મંદિર સવારે 10 કલાકે, ભીડભંજન મહાદેવ લાઠી, રિદ્ધિસિદ્ધિ નાથ મહાદેવ સાવરકુંડલા સાંજે 5 વાગે અને મહાદેવ મંદિર ખાંભામાં યોજાશે તો ધર્મ પ્રેમી લોકો ને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.અમરેલી શહેર ખાતે નાગનાથ મહાદેવ મંદિર તારીખ 27.08.22 ને શનિવાર ના રોજ સાંજે 4.30 કલાકે ગંગાજળાભિષેક યોજાશે.

જેમાં સવિશેષ ઉપસ્થિત મહંત શ્રી રામમનોહર દાસ બાપુ અમરેલી જિલ્લા અખિલ ભા.સંત સમિતિ. તેમજ ડો.ભરતભાઈ બોધરા (ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ.), શ્રી નારણભાઇ કાછડિયા(સાંસદ શ્રી અમરેલી), શ્રી.કૌશિકભાઈ વેકરિયા (પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા ભાજપ, શ્રી.પી.પી.સોજીત્રા (ચેરમેન માર્કેટિંગ યાર્ડ અમરેલી), શ્રી.અશ્વિનભાઈ સાવલિયા(ચેરમેન અમર ડેરી), શ્રી.મુકેશભાઈ સંઘાણી (વાઇસ ચેરમેન અમરડેરી)શ્રી મનીષભાઈ સંઘાણી( ઉપાધ્યક્ષ પ્રદેશ ઉવા મોરચો), શ્રી મનીષાબેન રામાણી (પ્રમુખ અમરેલી નગરપાલિકા), શ્રી પ્રજ્ઞાબેન દિલીપભાઈ સાવલિયા પ્રમુખ તાલુકા પંચાયત અમરેલી, શ્રી .રેખાબેન મોવલિયા .પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અમરેલી, શ્રી ભાવેશભાઈ સોઢા (પ્રમુખ અમરેલી શહેર ભાજપ), શ્રી રાજેશભાઈ કાબરીયા(મહામંત્રી જિલ્લા ભાજપ અમરેલી .તેમજ અમરેલી શહેર ની હિન્દૂ પ્રેમી લોકો ને બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે .

હરિદ્વાર મા સંતસમિતિના ગુજરાત પ્રાંત અધ્યક્ષ પ.પૂ.નૌતમસ્વામીજી વડતાલ તથા ગુજરાત તમામ વડીલ સંતો ની હિન્દુસમાજ મા તમામ નાત જાત વર્ગ ઊંચનીચ ના ભાવ થી ઉપર ઉઠીને ગુજરાત ની સુખાકારી માત્ર ને માત્ર સમાજ ની એકતા માટે,જાગૃતિ માટે,હિન્દુધર્મ ના ગૌરવ માટે ઐતિહાસિક સમરસ કાવડયાત્રા નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું તે નિમિત્તે ધર્મતીર્થ ભૂમિ હરિદ્વાર મા ભવ્ય વિશાળ કાવડયાત્રા તથા ગંગા પૂજન આરતી નો કાવડયાત્રીકો લાભ લઈને ધન્ય અને કૃત કૃતાર્થ થયા હતા.

હરિદ્વાર અને ગંગાજી હરિકીપૌડી જયશ્રીરામ,હરહરમહાદેવ અને ગંગામૈયા ના જયકારા થી ગૂંજી ઉઠયા હતા. આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પંચમહાલના વરિષ્ઠ સંતશ્રી પ.પૂ.રામશરણદાસજી મહરાજ  વૈષ્ણવ સમ્રાટ પૂ મોહનદાસજી મહારાજ સતાધાર મહંતશ્રી વિજયદાસજી બાપુ તોરણીયાધામના પૂ રાજેન્દ્રદાસજી બાપુ વિગેરે સંતો મહંતો .હિન્દુધર્મ સેના ના હોદેદારો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.તેમ હિન્દૂ ધર્મ સેના અમરેલી જિલ્લા પ્રમુખ સંદીપ માંગરોળિયા એ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/