fbpx
અમરેલી

શ્રેષ્ઠસમાજનાઘડતરમાંશિક્ષકોનુંયોગદાનમહત્ત્વપૂર્ણ : જિલ્લા પ્રભારીમંત્રી આર.સી. મકવાણા

રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સામજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત ઓક્સફોર્ડ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૧૨ શ્રેષ્ઠ શિક્ષકોને ‘પ્રશસ્તિ પત્ર’ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

            આ કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, સમાજમાં શિક્ષકોનું સ્થાન સૌથી સર્વોચ્ચ છે. શ્રેષ્ઠ સમાજના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. જે શિક્ષકો સ્વાર્થ વગર આત્મ સંતોષ માટે શિક્ષણકાર્યમાં નિરંતર જોડાયેલા રહે છે તે ‘શ્રેષ્ઠ શિક્ષક’ના સન્માન સુધી પહોંચી શકે છે.  શિક્ષકો પોતાનું સમગ્ર જીવન બાળકોને સમર્પિત કરતા હોય છે ત્યારે આપણે સૌ સાથી મળીને જે ઘટતું છે તે કરી અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.

           વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની પરંપરાએ રાજ્યના શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન આણ્યું છે, જેના વિશે વાત કરતા રાજ્ય મંત્રીશ્રી આર.સી. મકવાણાએ ઉમેર્યુ હતું કે અમરેલી જિલ્લાથી લઈને દરિયા પટ્ટીમાં એક સમયે જે મોટી માત્રામાં ડ્રોપઆઉટ રેશિયો જોવા મળતો હતો તે આજે ઝીરો ટકા થઈ ગયો છે. શાળા પ્રવેશોત્સવ વખતે નાના-નાના લોકો પણ આગળ આવી અને બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરતા હોય છે જેનાથી બાળકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ કાર્યક્રમમાં પ્રભારીમંત્રીશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન મેળવનારા તમામ શિક્ષકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

              આજના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ચાવડા ઉમેશભાઈ જેઠાભાઈ, ખુમાણ અજયકુમાર નજુભાઈ, ચૌહાણ પ્રહલાદ કેશવલાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ધાંધિયા દિવ્યાબેન ગૌરીશંકર, સુતરિયા નિધિબેન મહેશભાઈ, પરમાર જ્યોત્સનાબેન વાલજીભાઈ, સોલંકી પ્રકાશકુમાર દુદાભાઈ, મેવાડા મનસુખલાલ પુંજાભાઈ, સુખડીયા અસ્મિતાબેન ઘનશ્યામભાઈ, ગેવરીયા સોનલબેન કાનજીભાઈ, કડેવાળ ભાવેશભાઈ મનસુખભાઈ, ચાવડા પરેશકુમાર મોહનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

  આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી વિપૂલભાઈ દુધાત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય, ડાયટના આચાર્ય દક્ષાબેન પાઠક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જી.એમ.સોલંકી, જિલ્લા-તાલુકા શિક્ષક-આચાર્ય સંઘના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, શિક્ષકો અને શિક્ષણવિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/