સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-09-at-7.22.25-AM-1140x620.jpeg)
સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલી દ્વારા “સાયબર-ક્રાઈમ જાગૃતિ દિવસ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીના I/C પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરભાઇ જેબલીયા દ્વારા ગુરુકુલના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. સદરહુ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમમાં ગુરુકુલના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ ગુરુકુલનાં સંતો હાજર રહેલ હતાં.
Recent Comments