અમરેલી નગરપાલીકાના પૂર્વ પ્રમુખ વિસામણભાઈ વાળાનો ખાલીપો કાયમ વર્તાશે : દિલીપ સંઘાણી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/12/citywatch-7.jpg)
તજજ્ઞતા અને કૂનેહપૂર્વકની કાર્યશૈલીથી જાણીતા એડવોકેટ એવા વિસામણભાઈ વાળાના દેહાવસાન નીમીતે તેમની સાથેના સ્નેહસ્મરણોને યાદ કરીને રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ શબ્દાંજલી અર્પણકરી સામાજીક ધોરણે પણ બાપુનો ખાલીપો વર્તાશે તેમ પૂર્વ કેબીનેટ મંત્રીએ જણાવેલ છે.
સંઘાણી એ વધુમા જણાવેલ કે, બાપુએ એડવોકેટ કરતા પણ સવિશેષ અમરેલી નગરપાલીકાના પ્રમુખ તરીકેના કાર્યકાળમા શહેરના વિકાસમા પણ
અગ્રેસર ભૂમિકા ભજવી હતી. તેઓની ન્યાયતંત્ર, રાજકીય, શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રેની સેવાઓને સદ્ગત આત્માને શોકાંજલી પાઠવતા સંઘાણીએ યાદ કરી હતી.
Recent Comments