શ્રી નિવાસી અંધવિદ્યાલય થોરડીના દિવ્યાંગ વિધાર્થીઓનો દાતાઓના સહયોગથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/01/ba986664-f55d-4b37-a5b8-8583816748bc-1140x620.jpg)
રાજુલાના ડોક્ટરશ્રી ઓ દ્વારા તથા દાતાશ્રીઓ દ્વારા નિવાસી અંધ વિધાલય નાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને સૌરાષ્ટ્ર માં જુનાગઢ દ્વારિકા .બેટ દ્વારિકા .પોરબંદર અને સોમનાથ નાં ધાર્મિક સ્થળો તેમજ આધ્યાત્મિક અને માનસિક વિકાસના અર્થે અને દ્રષ્ટિ હીન ભાઈઓ બહેનો આવા પ્રવાસન શહેરો થી માહીતગાર થાય તે માટે પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તારીખ 6 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી દરમિયાન શ્રી નિવાસી અંધ વિધાલય થોરડી તા. સાવરકુંડલા જી. અમરેલી નાં બાળકોને રાજુલાના તબીબી સેવા માં અવિરત એવા શ્રી ડૉ. વાઘમશી સાહેબ . ડો. ભુવા સાહેબ. ડો. વિજયભાઈ ગજેરા સાહેબ. ડો. ખુમાણ સાહેબ. ડો. મેહુલભાઈ પટેલ સાહેબ તેમજ સદવિચાર જનરલ હોસ્પિટલનાં સંચાલક શ્રી ધીરુભાઈ બલદાણીયા, ડો. રાજુભાઈ તથા રાજુલા શહેર માં વસતા હરહંમેશ અંધ બાળકોનું ધ્યાન રાખતા દાતાશ્રીઓ જેવા કે શ્રી મહેશભાઈ લાડુમોર હ્યુન્ડાઈ શો રૂમ, શ્રી હકુભાઇ બલદાણીયા કનૈયા ટ્રેડિંગ, શ્રી અબ્બાસી ભાઈ મેમૂન સેનેટરી, શ્રી લાલભાઈ હિતેષ મોલ, શ્રી કિશન ભાઈ બજરંગ સ્ટોર,શ્રી પ્રિતેશ ભાઈ પ્રવિણ ઇલેક્ટ્રિક સ્ટોર શ્રી ગિરીશ ભાઈ ક્રિષ્ના એમ્પોરિયમ તથા લાલભાઈ ઓમ ક્લિનિકલ લેબોરેટરી, શ્રી દિપકભાઈ સંઘવી, શ્રી જતીનભાઈ સોની રાવભાઈ એન્ડ સન્સ, બિપીનભાઈ મહેતા વસુંધરા કાપડ સ્ટોર, વગેરે નો સહયોગ મળ્યો હતો.આ માટે શ્રી લોક સેવક સંઘ – લોક વિદ્યા મંદિર, શ્રી નિવાસી અંધ વિધાલય થોરડી નાં સમગ્ર ટ્રસ્ટી તથા સ્ટાફ તેમજ બાળકો આપના આભારી છીએ.
Recent Comments