સાવરકુંડલાના કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા મુકવા રજૂઆત કરતા રામદેવસિહ ગોહિલ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/01/IMG-20230120-WA0002-1027x620.jpg)
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ના પરિસરમાં ભાવનગર સ્ટેટ ના મહારાજા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની પૂર્ણ કદની પ્રતિમાની સ્થાપના કરવા રજૂઆત કરવામાં આવી. રાજાશાહી વખતમાં સાવરકુંડલા ના યુવાનોને શારીરિક રીતે ખડતલ બનાવવા શહેરની મધ્યમાં આવેલ આ અતિ કિંમતી જમીન ભાવનગર મહારાજા સાહેબે અર્પણ કરેલ હતી. આજે આ જગ્યા શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટ સંચાલિત છે જેના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ ને મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવા ગુજરાત રાજપૂત યુવા સંઘ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી.
પ્રાતઃ સ્મરણીય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નું ભારતમાં લોકશાહી સ્થાપવા મહત્વની યોગદાન રહેલ છે જેને સમગ્ર ભારત દેશ માન અને આદરની દ્રષ્ટિથી જોવે છે તેવા મહારાજા સાહેબને આ સંસ્થામાં અભ્યાસ કરતા અને વ્યાયામ કરતાં યુવાનો તથા વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુથી આ પ્રતિમા ના સ્થાપનાની રજૂઆત કરવામાં આવી છે.
Recent Comments