fbpx
અમરેલી

કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના જાળીયા-બગસરા માર્ગને જોડતા પુલનું લોકાર્પણ

અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો તેજ ગતિથી શરુ છે. વિકાસ કાર્યોની આ શ્રૃંખલાના ભાગરુપે અમરેલી જિલ્લા- તાલુકાના જાળીયા ગામે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે જાળીયા-બગસરા ધોરીમાર્ગને જોડતા નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાળીયા-બગસરાને જોડતા ધોરીમાર્ગ પર રુ.૬૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પુલના લોકાર્પણથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ મુખ્ય નાયબ દંડકશ્રીએ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જિલ્લાની અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા બેઠકના વિવિધ ગામોમાં મુખ્ય નાયબ દંડકશ્રી દ્વારા લોકદરબાર થકી સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસ કાર્યોના માર્ગે આગળ વધી રહી છે.  ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક વિકાસના તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાની નેમ રાજ્ય સરકારની છે. તાજેતરમાં યોજાયેલા લોકદરબારોમાં ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓનું સ્થળ પર સફળતા પૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગામના ઉપસરપંચશ્રી હિંમતભાઈ નાકરાણી, તાલુકા પંચાયતના સભ્યશ્રી કાળુભાઈ રામાણી, તાલુકા પંચાયત માજી પ્રમુખશ્રી પ્રાગજીભાઈ હિરપરા,  જાળીયા માજી સરપંચશ્રીઓ કાંતિભાઈ ગોંડલીયા, શ્રી શાંતિભાઈ પરમાર, અગ્રણીશ્રી જલ્પેશભાઈ મોવલિયા, શ્રી સંદિપભાઈ સોલંકી,  શ્રી મનિષભાઈ ગોંડલિયા, શ્રી રતિલાલભાઈ ઠુંમર સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/