અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામનારના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની સહાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/02/ACCIDENT-SAHAY-VITARAN-PH-1-1140x620.jpg)
ગયા વર્ષની ચોમાસા ઋતુ દરમિયાન અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા તેવા સ્વ.જતિનભાઈ રાજુભાઈ મોરીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની રકમનો ચેક નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી કૌશિકભાઈ દ્વારા મૃત્તકના પરિવારજનોને દિલસોજી સહ સાંત્વના પાઠવવામાં આવી હતી.
Recent Comments