પશુ ચિકિત્સા કચેરી દ્વારા અમરેલી તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/02/citywatch-44.jpg)
પશુ ચિકિત્સા કચેરી, પશુ દવાખાના દ્વારા નાના આંકડિયા સ્થિત કડવા પટેલ સમાજ ખાતે આગામી તા.૨૬ ફેબ્રુઆરી, ૨૩ને રવિવારના રોજ સવારે ૮.૦૦ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન અમરેલી તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં પશુપાલન નિષ્ણાંતો દ્વારા, પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન, આદર્શ પશુપાલન, નફાકારક પશુપાલન, બચ્ચા ઉછેર પશુપાલનને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે. આથી, અમરેલી તાલુકાના પશુપાલકોને આ શિબિરમાં જોડાવા પશુચિકિસ્તા અધિકારીશ્રી અમરેલીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments