છેતરપીંડીના કામે ૨૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-02-28-at-9.22.03-PM-1140x620.jpeg)
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પો.સ્ટે . એમ કેસ નં .૩૨ / ૧૯૯૪ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૧૪ મુજબના કામે આરોપી છેલ્લા ૨૯ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , અને પોતાનું તથા પોતાની પત્નીનું નામ બદલી ગોધરા મુકામે રહેતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગોધરા મુકામેથી મજકુર બન્ને લીસ્ટેડ આરોપીઓને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીની વિગતઃ ( ૧ ) મનુજી ઉર્ફે મનુભાઇ અમરસિંહ ડાભી ( રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા ) , ઉ.વ .૬૭ , રહે . ઝુલાસણા , તા.કલોલ , જિ.મહેસાણા રહે.હાલ ગોધરા , ૩૯૧ સત્યમ કો.ઓ.સોસાયટી , બાંમરોલી રોડ , વાવડી , બુઝુર્ગ તા.જિ.પંચમહાલ ( ગોધરા ) ( ૨ ) રમાબેન વા / ઓ . મનુજી ઉર્ફે મનુભાઇ અમરસિંહ ડાભી ( રમીલાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા ) , ઉ.વ .૫૮ , રહે . ઝુલાસણા , તા.કલોલ , જિ.મહેસાણા રહે.હાલ ગોધરા , ૩૯૧ સત્યમ કો.ઓ.સોસાયટી , બાંમરોલી રોડ , વાવડી , બુઝુર્ગ તા.જિ.પંચમહાલ ( ગોધરા )
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ .સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા , તથા હેડ કોન્સ . અજયભાઇ સોલંકી , તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments