આસોદર પ્રા શા. શિક્ષક ની ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકર એવોર્ડ માટે પસંદગી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/IMG-20230414-WA0058-1140x620.jpg)
સંતકબીર આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટૂ નાગૌર રાજસ્થાન ના ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મા જન્મ દિવસ ઉજવણી પ્રસંગે સમગ્ર ભારતમાંથી 132 વ્યક્તિઓ ને તેમના કાર્યમાં કરેલ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ એવોર્ડ માટે પસંદ થયેલ પ્રતિભાવંતોની પસંદગી કરવામાં આવી.સદગુરૂ સંત કબીર કેશવ મંદિર સંત નાનકદાસ સનાતન ધર્મ ટ્રસ્ટ આવા વિવિધ ક્ષેત્ર માં કરેલ ઉમદા કાર્ય બદલ સન્માન કરે છે. ભારત ભરના પ્રતિભાવંત વ્યક્તિઓ ના ઉત્તમ કામગીરીના ડેટા કલેક્શન કરી તેના આધારે શ્રેષ્ઠ કાર્યને પસંદ કરવામાં. આવેલ. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની શ્રી આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ નાગલાની પસંદગી કરવામાં આવી અને તેમણે કરેલા શ્રેષ્ઠતમ કાર્ય બદલ ભારત ભૂષણ મહંત શ્રી ડો.નાનકદાસજી મહારાજ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સી.કે. ચૌધરી.વિગેરે મહાનુભાવોના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.અને તેમણે કરેલ ઉત્તમ કાર્યની નોંધ લઈ તેની પ્રશંસા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.
Recent Comments