સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમ મુજબ પરીક્ષાઓ ન લેતા ABVP-AMRELI દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદન આપ્યું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-અમરેલી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી. હોમિયોપેથીક કાઉન્સિલના નિયમ મુજબ પરીક્ષાઓ યોજવામાં આવવી જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમ મુજબ પરીક્ષાઓ ન લેતા ABVP-AMRELI દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદન આપ્યું અને સાથે સાથે આવનાર તમામ હોમિયોપેથીક પરીક્ષાના પરિણામો થિયરી અને પ્રેકટીકલ ગુણ બંને ઓનલાઇન બતાવવામાં આવે અને પેપર ચકાસણી બરોબર રીતે કરવામાં આવે એવી માંગો સાથે આવેદન અપાયું.અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પરિષદની તમામ માંગો સ્વીકારવામાં આવી અને સત્વરે અમલમાં આવશે એવી યુનિવર્સિટી દ્વારા બાહેંધરી આપવામાં આવી.
Recent Comments