જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નું રક્તદાતા ઓને પક્ષી માળા ચણપાત્ર કુંડા થી પ્રોત્સાહિત કરાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/05/IMG-20230430-WA0009-960x620.jpg)
દામનગર ના પાડરશીંગા ખાતે ચતૃષ્ટ દિવસીય નૂતન રામદેવજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અનેક વિધ સેવા અભિયાનો પેકી મંગળવારે યોજાનાર મહારક્તદાન કેમ્પ માં સુરત સ્થિત સામાજિક સેવા સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ ના આર્થિક સહયોગ થી નકળંગધામ આશ્રમ ગામ પાડરશીંગા દ્વારા આયોજીત શ્રી રામદેવજી મહારાજના નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં સૂર્યમુખી ધૂન મંડળ આયોજિત મહંત શ્રી બાલકદાસબાપુ ગુરુ શ્રી પ્રેમદાસબાપુ ની રક્તતુલા કાર્યક્રમ માં રક્તદાતા ઓને પરમાર્થ કાર્ય નું પ્રોત્સાહન રક્તદાતા શ્રી ઓને પક્ષી માળા કુંડા ચણપાત્ર ની ભેટ અપાશે તા.૦૨/૦૫/૨૩ ને મંગળવાર સવારે ૭-૩૦ કલાકે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે. તેમાં તમામ રક્તદાન કરે તે દાતાશ્રીઓને પક્ષીઓના ચણ ના ૩૦૦ કુંડા ફી વિતરણ કરવામાં આવશે ચકલી બચાવો અભિયાન ને સુરત થી જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના સેવક પ્રમુખ શ્રી. વિપુલભાઈ નારોલા ગામ દામનગર અને તમામ સભ્ય શ્રી તરફથી વેગ આપવા તમામ રક્તદાન દાતાશ્રી ઓને પક્ષી માળા કુંડા ચણપાત્ર થી પ્રોત્સાહિત કરાશે
Recent Comments