fbpx
અમરેલી

ખરીફ પાક વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ લાયસન્સ ધારક પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો

રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા સૂચના છે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામુ, જે બિયારણ ખરીદ્યું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગતો દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેની ચકાસણી અવશ્ય કરવી. અમાન્ય બિયારણની ખરીદી ખેડૂતોએ ટાળવી. અમાન્ય બિયારણ વેચનાર ધ્યાનમાં આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સપેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તર)ને તુરંત જ જાણ કરવી ઉપરાંત વધુમાં જાણકારી માટે નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ની કચેરી, ૩૦૧, બી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ),અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/