જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૫માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/download-15.jpg)
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૫માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તા.૧૦ ઓગસ્ટ સુધી www.navodaya.com પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. પ્રવેશ પરીક્ષા આગામી તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ને સવારે ૧૧.૩૦ કલાકે યોજાશે. ધો.૫માં સત્ર ૨૦૨૩-૨૪માં અભ્યાસ કરતા છાત્રો આવેદન કરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૨ થી ૩૦.૦૭.૨૦૧૪ (બંને સંલગ્ન સંમિલિત) આધારિત થતી હોવી આવશ્યક છે. આ વિદ્યાલય સંપૂર્ણ આવાસી છે અને આ વિદ્યાલયમાં સી.બી.એસ.સી અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે, તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના જનસંપર્ક અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments