fbpx
અમરેલી

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને રૂપિયા ૫૧,૧૧,૧૧૧/- નું અનુદાન આપવામાં આવ્યું

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી ને વખતોવખત અનુદાન આપનાર એવા આનંદ કુંજ આશ્રમ શિહોર માં દિવ્ય સાધનામય જીવન સાથે પવિત્ર ગૃહસ્થ જીવન જીવીને ધ્યાન, સાધના સાથે પરોપકાર અને જનહિતમાં પવિત્ર કાર્યોની શાશ્વત સંપતિનું ખુબજ ઉપાર્જન કરેલ છે. તેવા ૫૨મ્ વંદનિય મહાપુરૂષ પૂ. સંત ધરમદાસબાપા એ ગત તા.૧૩.૭.૨૦૨૩ નાં રોજ પોતાનાં નશ્વર દેહને ત્યજીને પરમધામ પ્રતિ મહાપ્રયાણ કરેલ છે.

અગાઉ તેઓની પ્રાર્થનાસભા માં તેમજ તા.૨૪.૭.૨૦૨૩ માં ભંડારા મહોત્સવ માં પૂ. સંત ધ૨મદાસબાપાનાં ધર્મપત્ની ગં.સ્વ. મીરા માતાજી એ પૂ. બાપાની માલિકીનો દહીંસર (મુંબઇ) ખાતે નો ફ્લેટ પૂ. બાપાનાં પરમ ભકતને વેચાણ કરીને તેની ઉપજેલ કિંમત રૂા.૫૧,૧૧,૧૧૧/- અંકે રૂપિયા એકાવન લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા ની ૨કમ સંતો તેમજ વિશાળ સંખ્યામાં સેવક સમુદાય ની ઉપસ્થિતમાં હોસ્પિટલને દાનમાં અર્પણ કરવાની જાહેરાત કરેલ છે.

આ મહોત્સવ પ્રસંગે મંત્રી-બી.એલ.રાજપરા એ પોતાના વક્તવ્યમાં પ્રતિભાવ આપતા ગં. સ્વ.  મીરા માતાજી દ્વારા કરવામાં આવેલા આવા દિવ્ય સંકલ્પને શત્ શત્ વંદન સાથે વધાવી તેઓનો તેમજ સેવક સમુદાયનો ટ્રસ્ટ મંડળ વતી હૃદયપૂર્વક નો આભાર માનેલ છે. આ ભંડારા મહોત્સવ માં ટ્રસ્ટી-હિરાભાઈ નાકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/