સાવરકુંડલા શહેરમાં આજરોજ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો
સાવરકુંડલા શહેરમાં આજરોજ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાનું શહેરજનોની ઉપસ્થિતમાં સંન્માન કરવામાં આવેલ.
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના – સાવરકુંડલા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. આ અભિવાદન સમારોહમાં સાંસદ, ધારાસભ્યની સાથે સાવરકુંડલા શહેર ભાજપના તમામ સેલના હોદેદારો, વેપારી એસીસીએશનો, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહેલ હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહિનીની બહેનો પણ હાજર રહેલ. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાને સાવરકુંડલા શહેરમાં અશાંતધારો, બાયપાસ રોડ, નાવલી રીવરફ્રન્ટ, સ્પોર્ટસ સંકૂલ, અત્યાધુનિક રેલ્વે સ્ટેશન જેવા વિકાસના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે બદલ સન્માનિત કરવામાં આવેલ. મહેશભાઇ કસવાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલીને બિરદાવતા અવિરત વિકાસના કામોની પ્રશંસા કરી હતી. જ્યારે અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયાએ તેમના વક્તવ્યમાં આગામી ૨૦૨૪ની ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઇ મોદી જંગી બહુમતિથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે
હિન્દુ ધર્મ સેના-સાવરકુંડલાના પ્રમુખ તથા મહામંત્રી સમેત તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments