જે. વી મોદી હાઇસ્કુલ સાવરકુંડલામાં નવા નિયુક્ત થયેલા આચાર્ય નો યોજાયેલ સત્કાર સમારંભ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/MODI-1140x620.jpg)
નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી (ભૂતપૂર્વ શિક્ષક, ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ મુકુંદભાઇ નાગ્રેચા, મેનેજીંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા તથા ટ્રસ્ટીઓ કનુભાઈ ગેડિયા, વિનુભાઈ રાવળ, જનકભાઈ ઉપાધ્યાય અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ… કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી ને સંસ્થાના ઉપપ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીઓ અને સ્ટાફ પરિવારે પુષ્પગુચ્છ આપી આવકાર આપેલ અને મીઠાઈથી મો મીઠા કરાવ્યા હતા. આ પ્રસંગે સનરાઈઝ સ્કૂલના આચાર્ય નીલાબેન મશરૂ અને શા.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ ના સ્ટાફે પણ ઉપસ્થિત રહી પોતાની લાગણી વ્યક્ત કરેલ હતી.
Recent Comments