સંસ્કાર ભારતી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી ગણેશ
ભાવનગર સંસ્કાર ભારતી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી ગણેશ તથા બહેનોના હાથે ભાઈઓ માટેની કલાત્મક રાખડી બનાવવાની તાલીમ યોજવામાં આવેલ…તા.૨૭ ઓગસ્ટ રવિવારના રોજ સંસ્થા પ્રાંગણ માં સ્વ.શ્રી અંજન ભરતભાઈ પંડ્યા ની પૂણ્ય સ્મૃતિ માં સતત ૧૯ માં વર્ષે યોજાએલ કાર્યક્રમ માં ૧૨૦ બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો..કાર્યક્રમ નું સંકલન શ્રી નીતિનભાઈ દવે , ડૉ .અશોકભાઈ પટેલ , શ્રી રમેશભાઈ ગોહિલ , દ્વારા થયું હતું…આ પ્રસંગે સંસ્કાર ભારતી ના અધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા એ આશીર્વચન પાઠવી બાળકો ને પ્રમાણપત્ર નું વિતરણ કર્યું હતું.. સાંપ્રદાયિક સૌહાર્દ ના પ્રતિક તરીકે યોજાયેલ કાર્યક્રમ માં દિવ્યાંગ શ્રી સમીમ બહેન ચાવડા એ માટી ના ગણપતિ બનાવી ઉત્તમ દેખાવ કર્યો હતો.. ટેબલ ટેનિસ અને આર્મ રેસલિંગ માં નેશનલ માં ગોલ્ડ મેડલ મેળવી ભાવનગર નું નામ રોશન કરનાર શ્રી સમિમબહેનને કાર્યક્રમ માં વિશેષ ગૌરવ મેળવ્યું હતું… શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી હીનાબેન ભટ્ટ તથા પરેશભાઈ પાઠક એ કર્યું હતું…..
Recent Comments