સાવરકુંડલા શહેરમાં આવેલશા. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં આચાર્યનો પદનો કાર્યભાર સંભાળતા ઉષાબેન તેરૈયા.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/IMG-20230906-WA0029-1140x519.jpg)
શ્રી જેવી મોદી હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રી ઉષાબેન તેરૈયાને પોતાના જ મંડળ શ્રી નુતન કેવણી મંડળની જ શાળામાં આચાર્યશ્રી તરીકે નિમણૂંક મળતા ચારેય બાજુઓ અનેરો આનંદ છવાયેલો જોવા મળ્યો હતો તેઓશ્રી તારીખ ૧-૯- ૨૦૨૩ માં રોજ આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ ક્ષણે શાળા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નુતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા કનુભાઈ ગેડિયા શ્રી વિનુભાઈ રાવળ શ્રી જનકભાઈ ઉપાધ્યાય ગીતાબેન તેમજ કાણકીયા કોલેજના આચાર્યશ્રી રવિયા સાહેબની ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં ઉષાબેનના પરિવારના સભ્યો સગા સ્નેહી મિત્રોની ઉપસ્થિતિ હતી સાથોસાથ આ કાર્યક્રમનું સંચાલન શાળા સુપરવાઇઝર શ્રી નીતાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું તો ઉષાબેનના મુખેથી શાળાને નવી ઊંચાઈ પર લઈ જવાની તેમ તેમના વિચારોમાં ખાસ જોવા મળી હતી એમના સમજી શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીની બહેનોમાં આચાર્ય પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વડીલો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
Recent Comments