સાવરકુંડલા શહેરના સર્વોદય નગરમાં અનોખી રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો અને આપ્યો સર્વ હિંદુ સમાજના લોકોને એક અનોખો સંદેશ..
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/IMG-20230908-WA0010.jpg)
શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર દેશ અને વિશ્વમાં ખૂબ જ ધામધૂમ અને આસ્થા પૂર્વક ઉજવાયો ત્યારે સનાતન ધર્મના સ્થંભ સમાન ભગવાન રામ, શ્રીકૃષ્ણ અને શિવજી છે ત્યારે જેવી રીતે હનુમાનજી મહારાજના મંદિરો સર્વત્ર અને શેરીએ શેરીએ જોવા મળે છે તે જ રીતે કૃષ્ણ જન્મોત્સવ પણ દરેક ઘેરે અને શેરીએ શેરીએ ઉજવવો તેવા એક ઉમદા હેતુના સંદેશ સાથે સાવરકુંડલા શહેરના સર્વોદય નગરમાં એરો ગેસ એજન્સીના માલિક બાબાભાઈ શેઠ અને કથાકાર વક્તાના પ્રયાસ અને પ્રયત્ન નથી કન્ટેનર ની અંદર કૃષ્ણ જન્મોત્સવ ઉજવી સર્વ હિંદુ સમાજને અપીલ કરી હતી કે આગામી જન્માષ્ટમી એ દરેક હિન્દુ સમાજના ધર્મ પ્રેમી લોકોએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવી સનાતન ધર્મની જ્યોત અને અભિયાન શરૂ રાખવું જોઈએ…
Recent Comments