સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર ખોડિયાર મંદિર પાછળ આવેલા શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ગૌમાતા તેમજ ગૌવંશના પરિવારના મોક્ષાર્થે નારાયણબલી યજ્ઞનું આયોજન. આ નિમિત્તે સંતવાણી અને ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/IMG-20230913-WA0008-1007x620.jpg)
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર પાડરશીંગા ખોડિયાર મંદિર પાછળ આવેલા શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ગૌમાતા તેમજ ગૌવંશના પરિવારના મોક્ષાર્થે તારીખ ૨૩-૯-૨૦૨૩ને શનિવારે સવારે ૮ કલાકે નારાયણબલી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હેમાદ્રી પ્રયોગ સવારે ૮ કલાકે, ભોજન પ્રસાદ બપોરે ૧૨-૩૦ કલાકે, બીડું સાંજે ૫ વાગ્યે હોમવામાં આવશે. અને રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી અને ડાયરામાં લોકસાહિત્યકાર લાખણશી ગઢવી, પી.વી.જાદવ અને ભજનીક રીનાબેન ગોસ્વામી અને રેખાબેન વાળા ભજનની અમૃતવાણી સંભળાવશે.. આ પ્રસંગનો લ્હાવો લેવા ધર્મપ્રેમી જનતાને પૂ. માતાજી, શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જે લોકોએ યક્ષમાં બેસવું હોય તેમણે ૧૬-૯-૨૦૨૩ના રોજ મૌન પૂર્ણ થયાં બાદ મોબાઇલ નંબર ૯૮૭૯૪૦૯૯૧૨ પર નોંધણી કરાવવા પણ જાણ કરવામાં આવેલ છે.
Recent Comments