સાવરકુંડલામાં સદભાવના ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં. નર્મદા યાત્રા,કાના તળાવ શિવ દરબાર આશ્રમના દર્શન યોજાયા.
સાવરકુંડલામાં છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિ દાદાની અસીમ કૃપાથી અને શિવ દરબાર આશ્રમના પ.પૂ.શ્રી ઉષામૈયાના આશીર્વાદથી ગણેશ ઉત્સવ ઉજવાય છે જેમાં આ વર્ષે ગણેશ મહોત્સવ પ્રસંગે ગણપતિ ઉત્સવ દરમિયાન ૫૬ ભોગ દર્શન, ચંદ્રયાન થીમ,સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે જેમાં પ.પૂ.ઉષામૈયાની ઉપસ્થિતિમાં સદભાવના ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં રક્તદાન કેમ્પ યોજાયો અને નર્મદા યાત્રા,બાર જ્યોર્તિલિંગ અને શિવ દરબાર આશ્રમ આબેહૂબ લોકોએ લાઈવ નિહાળ્યું હતું આ પ્રસંગે માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુએ પણ દર્શનનો લ્હાવો લીધો હતો અને
મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો આ પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્ત બોટલ એકત્રિત કરવામાં આવવામા આવેલ. દરેક રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી અને દરેક રક્ત દાતાશ્રીઓનો સદભાવના ગૃપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ. એમ યોગેશ ઉનડકટની યાદીમાં જણાવાયું હતું.
Recent Comments