વેપારી મહામંડળ અમરેલીના પૂર્વ પ્રમુખ સંજયભાઈવણઝારા દ્વારા રૂા.૧,૦૦,૦૦૦/- નું દાનસારહી તપોવન આશ્રમના ઓફીસ રૂમ પેટે ૧,૦૦,૦૦૦/- નું દાન
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ઓફિસ રૂમ પેટે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 1,00,000/- રૂપિયા નું અનુદાન તા. 30/09/2023 નાં રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન – દ્રષ્ટા લોકસેવક શ્રી મુકેશભાઇ સંઘાણી, વેપારી મહામંડળ પ્રમુખશ્રી બિરજુભાઈ અટારા, ઉપપ્રમુખશ્રી શ્રી બિરેનભાઈ કાબરીયા, મુકેશભાઇ સોઢા,મંત્રી શ્રી નયનભાઈ પરસાણીયા, સંગઠન મંત્રીશ્રી વિજયભાઈ ખુબચંદાણી,શ્રી નીતિનભાઈ હિરાણી, સહ ખજાનચી શ્રી જીજ્ઞેશભાઈ ચાવડા, સહિત નાં પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments