અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ વસ્તી સંપર્ક અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામની મુલાકાત કરવામાં આવી.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/SP-1140x620.jpg)
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ડો.બાબાસાહેબ આંબેડકર ના જીવન કવન સાથે જોડાયેલ મહત્વના પાંચ સ્થળો જેવા કે જન્મભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ, મહાપરિનિર્વાણ ભૂમિ,ચૈત્ય ભૂમિ ની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્મારક સ્વરૂપે વિકસાવી તેને પંચ તીર્થ નામ આપી વૈશ્વિક સ્તરે ડો. બાબા સાહેબ આંબેડકર નું ગૌરવ વધાર્યું છે, ત્યારે અનુસૂચિત જાતિ ગુજરાત પ્રદેશ દ્વારા અનુસૂચિત જાતિ વસ્તી સંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામમાં અનુસૂચિત જાતિના પરિવારોની અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા શુભેચ્છા મુલાકાત લીધી અને રાષ્ટ્ર નિર્માણ માટે અનુસૂચિત જાતિના મહત્વના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો અને વડીલોના આશીર્વાદ લીધા.
આ તકે સુરેશ પાનસુરીયા સાથે અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા કારોબારી સભ્ય અરવિંદભાઈ મેવાડા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ મયુર ભાઈ રબારી, સાવરકુંડલા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હીરાભાઈ બગડા, સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશ ભાઈ પાનસુરીયા, યુવા ભાજપ અગ્રણી દેવર્ષિ ભાઈ બોરીસાગર, વાશીયાળી ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments