યુવા સંવાદ કાર્યક્રમ ની ભાવનગર, અમરેલી, બોટાદ ની ત્રણ જિલ્લાની સયુંકત આયોજન બેઠક ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી.
ગતરોજ યુવા સંવાદ કાર્યક્રમ ની ભાવનગર, અમરેલી, બોટાદ ની ત્રણ જિલ્લાની સયુંકત આયોજન બેઠક ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી અને ભાવનગર લોકસભા ના પ્રભારી અનિલભાઈ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને મળી. જેમાં પ્રદેશ મોરચા કારોબારી સભ્ય અને અમરેલી જિલ્લાના પૂર્વ પ્રભારી તેમજ હાલ રાજકોટના પ્રભારી દિલીપભાઈ જોગદિયા, અમરેલી જિલ્લા અનુજાતી મોરચાના અધ્યક્ષ વડીલ કેશુભાઈ વાઘેલા, જિલ્લા મોરચાના મહામંત્રી સંદીપભાઈ સોલંકી, અમરેલી જિલ્લા લોકસભા ના પ્રભારી એડવોકેટ મહેન્દ્રભાઈ જાદવ, અમરેલી જિલ્લા મોરચાના પ્રભારી હરેશભાઈ વાઢેર, જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અરવિંદભાઈ મેવાડા, પ્રદેશ કારોબારી સભ્ય અને કુકાવાવ તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન તેમજ ભાવનગર જિલ્લાના પ્રભારી આશિષભાઈ રાઠોડ, અને સાવરકુંડલા શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી તથા અમરેલી જિલ્લા મોરચાના યુવા સંવાદ કાર્યક્રમ ઇન્ચાર્જ લલીતભાઈ મારૂ એ હાજરી આપી જરૂર કાર્યક્રમ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
Recent Comments