fbpx
અમરેલી

સાવરકુંડલામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઇ

દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ હેતુસર માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત તા.11 ઓક્ટોબર 2023ને બુધવારે સવારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ધજડી, સાકરપરા, કૃષ્ણગઢ, ખોડિયાણા, ભમ્મર, મેરિયાણામાં અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. વીરોને વંદન કરવાના રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સાવરકુંડલાની મહેક પ્રસરે તે હેતુથી સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાએ અમૃત કળશ યાત્રામાં જોડાઇ ગામમાં ઘર-ઘર ફરીને માટી એકત્રિત કરી હતી.

આ ઉપરાંત બપોર બાદ છાપરી, ભમ્મર અને મેરિયાણામાં સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતિમાં કળશયાત્રા આગળ વધી હતી. ગ્રામજનોએ કંકુ-ચોખાથી અગ્રણીઓ સાથેની યાત્રાને વધાવી લીધી હતી અને પોતાના ઘરની માટી કળશમાં અર્પણ કરી હતી.

આ કળશયાત્રામાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી લાલજીભાઈ મોર, શ્રી શરદભાઈ ગોદાણી, સાવરકુંડલા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, સરપંચ શ્રીઓ તથા ભાજપાના કાર્યકર મિત્રો અને ગ્રામજનો જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/