સાવરકુંડલા ખાતે આરોગ્ય ક્ષેત્રે અનેરું પ્રદાન કરતી શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સંસ્થા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિશુલ્ક)માં દિવસે ને દિવસે દર્દીઓનું સંખ્યા વધી રહી છે.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/citywatch-16-300x132-5-1024x451-50.jpg)
સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે સુરત અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી પણ દર્દીઓની પ્રવાહ આ હોસ્પિટલ તરફ વધી રહ્યો છે. આવો જે કેસ છે હાલ સુરત રહેવાસી દર્દી છે, દર્દી રેખાબેન મકવાણા જેને ઘણા સમયથી સતત માસિકની તકલીફ અને પેટનો અસહ્ય દુખાવો હતો ને સારવારની આશા અર્થે આ હોસ્પિટલની મુલાકાત લેવી લીધી ત્યારે ગાયને વિભાગમાં બધા રિપોર્ટ અને સોનોગ્રાફીથી જાણવા મળ્યું કે ગર્ભાશયની કોથળી ફૂલેલી અને તેમાં ૧૨ નાની નાની ગાંઠ અને ૨ મોટી ગાંઠ (૭૬×૫૮mm) – (૪૬×૪૫mm)ની જોવા મળી અને બેનના હિમોગ્લોબીન ૬.૮% હતું.
૧૦/૧૦/૨૩ એ બેનને લોહી ચડાવીને ઓપરેશનની કામગીરી સફળ કરવામાં આવી. ૧૩-૧૦-૨૩ એ બેનને સંપૂર્ણ રાહત સાથે રજા કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સારવારનો શ્રેય શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અઘેરા સાહેબ , મેડિકલ ઓફિસર ડોક્ટર મીરા તેરૈયા, એનેસ્થેટીક ડોક્ટર સોની સાહેબ ઓ. ટી. આસિસ્ટન્ટ નર્સિંગ સ્ટાફ ઉપાસના બેન જહાન્વીબેન, હેતલબેનને ફાળે જાય છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારીયા અને આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા મંત્રી શ્રી દિવ્યકાંતભાઇ સૂચક સમેત તમામ ટ્રસ્ટીગણ પૂ. મોરારી બાપુની નિશ્રામાં હોસ્પિટલની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ હોસ્પિટલમાં તમામ મેડિકલ સારવાર દવા સમેત તમામ સુવિધાઓ દરેક દર્દીઓ માટે નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવી રહી છે.
Recent Comments