ડીજીટલ મીડીયાના પ્રકાશકોને લાખ-લાખ અભિનંદન.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/IMG-20231014-WA0012-867x620.jpg)
સાવરકુંડલાનાં કે.ડી.ન્યૂઝ અને આપડું કુંડલા પત્રકાર પાંધીસરના પ્રકાશકો હંમેશા સાંજે હજારો લોકો સુધી સાવરકુંડલાના સમાચારોથી વાકેફ કરી રહ્યાનો અનુભવ ડોક્ટર જે.બી.વડેરા સાહેબ તથા તેમનાં ધર્મપત્ની બેન ઉમાબેનને થયો.લિસ્બન સ્થિત રમાબેન (ઉમાબેન ના બહેન) રાજાણીને આશ્રમશાળાના બાળકોને ભોજન કરાવવાની પ્રેરણા થઇ.સ્વર્ગસ્થ પતિ ચંદુભાઈ રાજાણી તથા સ્વર્ગસ્થ પુત્ર પ્રતિષ રાજાણીની પૂણ્યતિથિ નિમીતે ગઇ કાલે તારીખ ૧૩/૧૦/૨૦૨૩ને શુક્રવારનાં રોજ કોઇપણ જાતની જાહેરાતની અપેક્ષા વગર વડેરા દંપતિએ આશ્રમશાળાના આચાર્ય શ્રી અશોકભાઈને બાળકોને ભોજન કરાવવાની સૂચના આપી હતી, જેમાં બુન્દિના લાડવા,ખમણ,રોટલી,શાક, દાળભાત, છાશ, સંભારો પ્રેમ પૂર્વક જમાડેલ હતા,૬૫ થી ૭૦ બાળકો- બાલિકાઓનાં લાલનપાલન માટે, અભ્યાસ માટે, સંસ્કાર અને ઘડતર માટે અશોકભાઈ ઉપરાંત શિક્ષિકા શીતલબેન,રસોયા વિપુલભાઈ તથા સહાયક સવિતાબેન સંતોષ કારક જવાબદારી નિભાવી રહ્યા છે.અત્રે એ વાતની ફરી નોંધ લેવી ઘટે કે ત્રણેક માસ પહેલાં “શું છે આ આશ્રમશાળા” નામની શોર્ટ ડીજીટલ ટેલી-ફિલ્મ દ્વારા નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંસ્થાનો પરિચય પણ વાંચકો સુધી પહોંચાડવામાં આવેલ
Recent Comments