fbpx
અમરેલી

સાવરકુંડલાના નાકરાણી પરિવાર દ્વારા કાગવડ ખાતે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ.. 

સાવરકુંડલાનાં પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈ વલ્લભભાઈ નાકરાણી  પરિવાર દ્વારા કાગવડ ખાતે આવેલ પટેલ સમાજના કુળદેવી શ્રી ખોડિયાર માતાના ભવ્ય- દિવ્ય મંદીર ખોડલધામ ખાતે માતા ખોડિયારનાં ચરણોમાં મસ્તક ઝૂકાવવા અને ધ્વજારોહણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે જે અંતર્ગત તારીખ ૨૮-૧૦ – ૨૩ ને શનિવારના  રોજ સાવરકુંડલાથી નાકરાણી પરિવાર દ્વારા ૫૦૧  માઈભક્તો સાથેનો સંઘ સ્પેશિયલ બસ દ્વારા પ્રસ્થાન થશે અને  કાગવડ ખાતે  ખોડલધામ મંદિરે સગા સંબધીઓ અને સ્નેહીજનો સાથે નાકરાણી પરિવાર દ્વારા સવારે ૧૦ કલાકે ધ્વજા પૂજન, ૧૦/૩૦ ધ્વજાજીનાં સામૈયા અને ૧૨ કલાકે માઁ  ખોડિયારનાં ચરણોમાં મસ્તક ઝૂકાવી શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવશે ધ્વજારોહણ બાદ બપોરે બધા જ ભક્તોને નાકરાણી પરિવાર દ્વારા સમૂહ પ્રસાદ લેવડાવવામાં આવશે અત્રે નોંધનીય છે કે કાગવડ ખાતે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ માટે એક વર્ષ પહેલાં પ્રતીક્ષા યાદીમાં નામ નોંધાવવાનું હોય છે ત્યારે એક વર્ષ પહેલાં કરેલો સંકલ્પ ખોડિયાર માતાજીના આશીર્વાદથી આ વર્ષે પૂરો થઈ રહ્યો હોય ધ્વજારોહણનાં ધાર્મિક કાર્યક્રમમાં પધારવા નાકરાણી  પરિવાર વતી ખૂબ ઉત્સાહથી નગરપાલીકાનાં ઉપ પ્રમુખ શ્રી પ્રતિકભાઇ નાકરાણી હેતભર્યું નિમંત્રણ પાઠવી રહ્યા છે. એમ દીપક પાંધી દ્વારા એક યાદીમાં જણાવાયું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/