fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના બ્રાન્ચ શાળા નં.૦૯, કેરાળા પ્રા. શાળા, સાકરપરા પ્રા.શાળાના  મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યકતા

સાવરકુંડલા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની આવશ્યકતા છે. આ જગ્યા માટેનાં અરજીપત્રકો તા.૨૦ નવેમ્બર૨૦૨૩ સુધીમાં સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરી ખાતે કચેરી કામગીરી સમય દરમિયા મેળવી અને અરજી તા. ૨૨ નવેમ્બર૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન રજિસ્ટ્રી શાખા ખાતે પહોંચાડવી. ખાલી જગ્યાઓમાં પ્રથમ પ્રયત્ન અંતર્ગત બ્રાંચ શાળા નં.૦૯ સાવરકુંડલાકેન્દ્ર નં.૧૦ (પ્રથમ પાળી)બીજા પ્રયત્ન અંતર્ગત કેરાળા પ્રાથમિક શાળાકેન્દ્ર નંબર ૨૫પ્રથમ પ્રયત્ન અંતર્ગત સાકરપરા પ્રાથમિક શાળાકેન્દ્ર નંબર ૯૫ માટે મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોની આવશ્યકતાઓ છે. 

         ઓછામાં ઓછી ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને જો ગામમાં આ લાયકાત ધરાવનાર ઉમેદવારો ન મળે તો ધો.૦૭ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનારજાહેરનામાની તારીખે ઓછામાં ઓછી ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે ઉંમર ધરાવનારા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે જરુરી વિગતો ભરીને અરજી પત્રક સાવરકુંડલા તાલુકા  મામલતદાર કચેરી ખાતે રજૂ કરવા. આ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા માટેની અરજી ઉમેદવારોની લાયકાતઉંમર  સરકારના ઠરાવવામાં આવેલા ધોરણો અનુસાર હશે તેમને રુબરુ બોલાવવામાં આવશે. આ જગ્યાઓ માટે સરકાર દ્વારા નિયત માનદ વેતન આપવામાં આવશે. અરજી કરવાનું નિયત નમૂના પત્રક સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરી ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળશે.  આ નિમણુક અનાજ દળવાની ઘંટી ચલાવતા વ્યક્તિનેવકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિનેશાકભાજીમરી મસાલાજલાઉ લાકડાનો વ્યાપાર કરતાઅન્ય ધંધાથી વેપાર કરતી કે સસ્તા અનાજની દુકાન ચલાવતી અરજદારો દ્વારા અરજી આપી શકાશે નહીં.  તેમ સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/