શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ-શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના સયુકત ઉપક્રમપટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સઘાણી સાહેબની ઉપસ્થિતીમા પટેલ કન્યા છાત્રાલય કે૨ીયા રોડ, અમરેલી ખાતે નૂતનવર્ષ સ્નેહ મિલન સમા૨ોહનુ આયોજન
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/citywatch-16-300x132-5-1024x451-40.jpg)
તા.૧૩/૧૧/૨૦૨૩, સોમવાર સવારના ૦૯–૦૦ થી ૧૦–૦૦ ઉપસ્થિત રહેવા બન્ને સસ્થાઓનુ જાહેર નિમત્રણસૌરાષ્ટ્રનો સત્કાર પ્રચલીત છે, આવા જ સ્નેહભાવથી નવા વર્ષની શુભકામના આદાન–પ્રદાન કરવા ”સ્નેહ મીલન’ નુ આયોજન દર વર્ષની પરંપરા મુજબ અમરેલી ખાતે નામાકીત સસ્થાઓ શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ અને શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવે છે, ઉપરોકત બન્ને સસ્થાઓના સયુકત આયોજનરૂપે આગામી સ્નેહ મિલન સમારોહ તા.૧૩–૧૧–૨૩, સોમવાર સવારના ૦૯–૦૦ થી ૧૦–૦૦ કલાકે પટેલ કન્યા છાત્રાલય, કેરીયા રોડ, અમરેલી ખાતે યોજાનાર હોઈ, સમારોહમા પટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ, પટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ અને ઈફકો—ગુજકોમાસોલના ચેરમેન માનનિય શ્રી દિલીપભાઈ સઘાણી સાહેબ ઉપસ્થિત રહેશે.
સમારોહમા સહપરિવાર ઉપસ્થિત રહેવા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ ભુવા અને પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી અશ્વિનભાઈ સાવલીયાએ સયુકત અખબારી યાદીમા જણાવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યોજાતા આ સ્નેહ મિલનમા બહોળા પ્રમાણમા સમાજ શ્રેષ્ઠિઓ પરિવારજનો ઉપસ્થિત રહી નવા વર્ષના વધામણા કરે છે તો સૌ જ્ઞાતિબંધુઓને ઉપસ્થિત રહેવા જાહેર નિમત્રણ છે.
Recent Comments