વી.ડી.કાણકિયા કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટ ના સ્વયંસેવકો સાવરકુંડલા એસ.ટી.વિભાગ દ્વારા આયોજિત ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ‘ કાર્યક્રમમાં સહભાગી થયા.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/NSS-1140x620.jpg)
તા.02/12/2023 ને શનિવારના રોજ એસ.ટી.વિભાગ સાવરકુંડલા દ્વારા ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ‘ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટના 50 જેટલા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શૈલેષભાઈ રવિયા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.એમ.જે.પટોળિયા, ડૉ.એ.કે.પરમાર, ડૉ.એચ.આર.દેસરાણી, મલયભાઈ વ્યાસ વગેરે પણ વિદ્યાર્થીઓની સાથે આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. એસ.ટી.વિભાગના કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવોની સહ ઉપસ્થિતમાં સાવરકુંડલાના બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાણકિયા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. એસ.ટી.વિભાગ,સાવરકુંડલા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Recent Comments