fbpx
અમરેલી

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સાવરકુંડલામાં વિશ્વવંદનીય પ. પૂ. મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી-૨૦૨૪ની દબદબાભેર ઉજવણી કરવામાં આવેલ. 

સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું  ૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ શ્રી જે.વી.મોદી હાઈસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયુંહતું.આ કાર્યક્રમ ૧૩ વર્ષથી સાતત્યપૂર્ણરીતે ઉજવાય રહ્યો છે. દેશવિદેશના દાતાશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, વિવિધ કલા સાધકો, સાહિત્યકારો અને સંસ્થા સાથે જોડાયેલા શુભેચ્છકો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. નવ વર્ષ પૂર્વે આ સંસ્થા દ્વારા સ્થપાયેલ તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરને જનસમાજનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડેલ. આ નવ વર્ષમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ આ આરોગ્ય સેવાનો લાભ લીધો છે. અને હાલ લઈ રહ્યા છે. સમાજની અપેક્ષાથી પ્રેરાઈને આ આરોગ્ય મંદિરમાં નવા વિભાગોનું મંગલ પ્રારંભ પર્વ ઉજવાયું. આ અંતર્ગત ‘ઘૂંટણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન (ની અને હીપ રીપ્લેસમેન્ટ) તથા મણકાના ઓપરેશનના વિભાગનું લોકાર્પણ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે સંપન્ન થયું.

ત્યારબાદ અહીં જે. વી મોદી હાઈસ્કૂલના મેદાનમાં સાહિત્ય  શિક્ષણ સન્માન પર્વ અંતર્ગત વર્ષ ૨૦૨૪ માટેના વિવિધ સન્માન એનાયત કરવામાં આવેલ. જેમાં  નિરંજન રાજ્યગુરુને ‘મનુભાઈ પંચોલી – દર્શક સાહિત્ય સન્માન’,  નીલેશ રાણાને ‘શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન’, પરી બલદેવપરી જવેરપરીને ‘શ્રી લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન’,  ઉર્વીશ વસાવડાને ‘નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર’,  પૂજા દવેને રાવજી પટેલ યુવા સંગીત પ્રતિભા’ અને જુગલ દરજીને ‘રાવજી પટેલ યુવા કવિ પ્રતિભા’ સન્માન પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થયા. આ પ્રસંગે કાર્યક્રમનો પ્રારંભ પૂજા દવે દ્વારા એક મંગલ ગાન સાથે કરવામાં આવેલ. સુખ્યાત સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગર અને અમેરિકા સ્થિત જાણીતા લેખક નટવર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મોરારીબાપુ આ પ્રસંગે મંગલ ઉદબોધન કર્યું. આ પ્રસંગે તેમણે ઉદબોધન દરમિયાન છ શાસ્ત્રોનું સંન્માન છે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈએ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય સેવાના ભારોભાર વખાણ કર્યા હતા. તો સવજીભાઈ ધોળકિયાએ તેમની આગવી અને મોલિક અદામાં સપના જોવા તો પણ મોટા એ સંદર્ભે વાત કરી હતી. અમેરિકાથી પધારેલ નટવર ગાંધીએ પણ ગીતા સારનો સંદર્ભ આપીને નિષ્કામ યોગની વાત કરી હતી. તો આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા દ્વારા એક સુંદર ગીતની  રજૂઆત દ્વારા વાતાવરણને ખુશનુમા કરી દીધેલ. આ કાર્યક્રમમાં શ્રી રતિલાલ બોરીસાગર, ધારાસભ્ય  મહેશ કસવાલા, સવજીભાઈ ધોળકિયા, શ્રી નટવરભાઈ ગાંધી (પૂર્વ સી.એફ.ઓ.વોશિંગ્ટન ડી.સી.),  ભદ્રાયું વચ્છરાજાની,  અંબરીષ ડેર,  છેલભાઈ વ્યાસ,  મનોજ જોશી, પુજ્ય ભક્તિરામ બાપુ (માનવ મંદિર) ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/