fbpx
અમરેલી

બગસરા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી જગ્યા માટે અરજી કરી શકાશે

બગસરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. જૂના ઝાંઝરીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૫, જૂના વાઘણીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૨૫, નવા વાઘણીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૨૬, જામકા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૩૫, સનાળીયા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૩૭ ખાતે સંચાલકની જગ્યા માટે ધો.૧૦ પાસ કે તેથી વધુ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધો.૭ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઉપરાંત અરજીકર્તા માટે ઉંમર મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ થી ઓછી ઉપરાંત નિયમાનુસાર માનદ વેતન આપવામાં આવશે. નિયત નમુનાનું અરજીપત્રક મામલતદાર કચેરી, બગસરા ખાતેથી તા.૨૨.૦૧.૨૦૨૪ સુધીમાં મેળવવાના રહેશે. અરજીપત્રકમાં વિગતો ભરીને જરુરી આધાર પુરાવા સાથે તા.૨૪.૦૧.૨૦૨૪ના રોજ બપોરના ૨ વાગ્યા સુધીમાં બગસરા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચાડવાનું રહેશે. નિયત નમૂનાની અરજી, લાયકાત, વય મર્યાદા, સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને રુબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે તેમ બગસરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/