fbpx
અમરેલી

ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપતી ભાજપ સરકાર:- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર ને માત્ર વીમા કંપનીઓના ખીચા ભરીને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-૨૦૨૨ મા ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી આ ભાજપ સરકારે આજે ખેડૂતોના ખર્ચા ડબલ કરી દીધા અને ખેડૂતોની આવક અડધી કરી નાખી છે,

માત્ર ને માત્ર ખેડૂતોની આવક ડબલ કરવાના નામે આ ભાજપની સરકારે ખેડૂતોને ખો આપવાનું કામ કર્યું છે, ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરતી આ ભાજપ સરકારે ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને સમયસર, પૂરતી અને દિવસે વીજળી પણ આપી શક્યા નથી, માત્ર ને માત્ર દિવસે વીજળી આપવાના નામે ખેડૂતોને ખો આપવાનું કામ આ ભાજપ સરકારે કર્યું છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતોને ખેતી કરવા માટે ખૂબ જ આવશ્યક પીયત માટેનું પાણી છે, જે પણ આ ભાજપ સરકાર ૩૦ વર્ષના શાસનકાળ દરમિયાન ગુજરાતના ખેડૂતોને પૂરું પાડી શકી નથી, ભાજપના ૩૦ વર્ષના શાસનમાં ખેડૂતોને પિયત માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે એક પણ નવો ડેમ કે પાણી માટેની નવી કેનાલ બનાવી શક્યા નથી,

માત્ર અને માત્ર ખેડૂતોને પાણીના નામે ખો આપવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોને રોઝ, ભૂંડના ત્રાસમાંથી ૩૦ વર્ષે પણ મુક્તિ અપાવવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરી શકી નથી, પરિણામે ગુજરાતના ખમીરવંતા ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરવા માટે રાત-દિવસ ઉજાગરા કરીને રોઝ, ભૂંડ તથા હિંસક પ્રાણીઓ સામે જીવના જોખમે ઝજુમી રહ્યા છે, ગુજરાતની ભાજપ સરકાર પાક રક્ષણના નામે ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપવાનું કામ કરી રહી છે, આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પોતાન પાકનો પોષણક્ષમ ભાવ તથા પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ પણ ગુજરાતની આ ભાજપ સરકાર આપતી નથી, પરિણામે ગુજરાતનો ખેડૂત દેવાના બોજ તળે ડૂબતો જાય છે, જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થઈને બજારમાં આવવાની તૈયારીમાં હોય ત્યારે જ ગુજરાતની આ ભાજપ સરકાર વિદેશમાંથી માલ આયાત કરીને ખેડૂતોના પાકના ભાવ તોડવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, માત્ર ને માત્ર પોષણક્ષમ ભાવના નામે ખમીરવંતા ખેડૂતોને ખો આપવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે,

આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોને મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, તથા ખેતીવાડીના ઓજારો- સંસાધનો પર જીએસટી નાખીને ખેતીને ભાંગવાનું કામ અને ખેડૂતોની કમર તોડવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, આમ છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપવાનું કામ કરી રહી છે તેમ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/