સંસ્કાર વિદ્યાલય સાવરકુંડલા દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/VIGYAN-MELA-1140x620.jpg)
વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે હાથસણી રોડ પર આવેલ સંસ્કાર વિદ્યાલય ના ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વેસ્ટ માંથી બેસ્ટ વિજ્ઞાન ના અવનવા મોડેલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા. આ મોડેલ બનાવવા માટે શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ અને બાળકોએ ખૂબ જ હોશ પૂર્વક ભાગ લીધો હતો.વાલીઓ દ્વારા પણ પોતાના બાળકોમાં રહેલ સર્જનાત્મક અને કલાત્મક શક્તિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ તકે સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, આચાર્ય કેતનભાઇ રાવળ તથા સ્ટાફ પરિવાર વતી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments