“શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યામંદિર થોરડીમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળા વિતરણ કરવામાં આવ્યા”
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/IMG-20240322-WA0035-1140x520.jpg)
૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શ્રીમાન ભીખુભાઈ બાટાવાળા (પ્રમુખશ્રી ગીર નેચર યુથ ક્લબ- ખાંભા) દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું” ચકલી બચાવો ના સૂત્ર” સાથે વિદ્યાર્થીઓને માળાઓ આપી અને ચકલી બચાવવા માટેની જાગૃતિ વિશેની માહિતી આપવામાં આવી અને વિશ્વ ચકલી દિવસની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી
આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કાંતિ દાદા, નિવાસી અંધ વિદ્યાલયના આચાર્ય હિતેશભાઈ દેસાઈ તથા લોક વિદ્યામંદિર મંદિરના આચાર્ય અરવિંદભાઈ છોડવડીયાએ શ્રીમાન ભીખુભાઈ બાટાવાળાનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લે કવિશ્રી રમેશ પારેખ ની એક પંક્તિ યાદ આવે છે. “તારો વૈભવ રંગ મહેલ સોનુને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું
Recent Comments