લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ની સેવાની સુવાસ ઇતિહાસ માં સૌપ્રથમ વખત ભાવનગર શહેર માં ફેલાઈ…!!!
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/IMG-20240324-WA0159-1140x620.jpg)
વિધ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા સિંધી સાર્વજનિક ધર્મશાળા તેમજ સમગ્ર સિંધી સમાજ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેર ના સંત પ્રભારામ હોલ માં સર્વ સમાજ માટે એક મેગા સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું અતિ સુંદર આયોજન કરવામાં આવેલ.
આ કેમ્પ માં નીચેના ડોક્ટરો એ સેવા આપી
૧. ડો દીપક શેઠ – કેન્સર સર્જન
૨. ડો રત્નાકર વાણીયા – ફિઝિશિયન
૩. ડો અંકુર પટેલ – ઓર્થોપેડીક સર્જન
૪. ડો અક્ષય પારખિયા – જનરલ સર્જન
૫. ડો હેમલ ચોટલિયા – બાળ રોગ નિષ્ણાત
૬. ડો વંદિતા સલાટ – ગાયનેકોલોજિસ્ટ
૭. ડો દેવ સોની – આંખના રોગો ના નિષ્ણાંત
૮. ડો દર્શના શિયાળ – જનરલ ઓ પી ડી
આ સાથે કલ્પેશ ભાલાળા તથા મહેશભાઈ સોંડીગળા પણ કેમ્પ ને સફળ બનાવવા માટે જોડાયા હતા. સિંધી સાર્વજનિક ધર્મશાળાના સમગ્ર ટ્રસ્ટીગણ ખડેપગે રહી ને કેમ્પનું અભૂતપૂર્વ આયોજન કરેલ. તથા ડોક્ટર માટે સુંદર વ્યવસ્થા કરેલ. આ કેમ્પમાં ભાવનગરના સર્વ સમાજ ના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો તથા સિંધી સમાજ દ્વારા દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવી. કેમ્પ ના અંતે ટ્રસ્ટીઓ દ્વારા સર્વે ડોક્ટર તથા સ્ટાફનું સન્માન કરી ઋણ સ્વીકાર કરવામાં આવેલ.
Recent Comments